મનની શાંતિ
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgEX4ihr2H-Dn5jcuv0zEQnrj6ddzCTtFYJVtHiiU4rVcnk4AfF7312KAhsctWHVuC3QwJW1xi-6gjzUEjdrjRjTTT2eTbU50RKZMcl0s5wqk8QVMQgSL7ndwA7oMJkVLJhja6kxEdu85Y/s200/wearables-ai-brain-implant-zuckerberg.jpg)
શું
માણસ કામચલાવ શાંતિ જ ઈચ્છે છે ? ના માણસ પૂર્ણ શાંતિ જ ઈચ્છે છે પરંતુ તે અસફળ
રહેવાથી વધુ અશાંત બની જાય છે. સફળતા કેમ નથી મળતી, કેમકે માણસ એક સીમિત શક્તિથી
અસીમિત શક્તિનો મુકાબલો કરવાની કોશીશ કરે છે અને એટલે એ અસફળ રહે છે, આવા એક પણ
પ્રયોગ ક્યારેય કામ આવી જ ન શકે. મનની શાંતિ માટેનો
એક આસાન પ્રયોગ અહી રજુ કરું છું અજમાવી જોજો અને મહેસુસ કરજો મનની શાંતિ કેમ અને
કેવી આસાનીથી મળી રહે છે. પરંતુ આપણે અસફળ પ્રયોગો માટે ટેવાઈ ગયા છીએ, મનની શાંતિ
માટે પહેલા તો અસીમિત દરેક શક્તિ, વ્યવસ્થા કે વ્યક્તિને મહાન માનવાનું છોડી દો,
દુનિયાનો કોઈ પણ મહાન કે મહાનતમ એના જ્ઞાનથી નથી પરંતુ આપણા અજ્ઞાનથી એ મહાનતા
હાશીલ કરે છે. બીજું જો તમે તમારા જ અનુભવોને વાંચી શકો છો તો એ વાંચો, વારંવાર
વાંચો!! ત્રીજું તમે તમારા અનુભવની પ્રકૃતિ પોતે જ બનાવો, તમે અસીમિત છો પરંતુ એને
તમે જ માનતા નથી એથી જ તમને એવું લાગે કે મારી મર્યાદાઓ સીમિત છે. અને મારે જે
શાંતિ જોઈએ છે એ અસીમિત છે, જો તમે તમારા પૂર્વ અનુભવોને વાંચી શકશો તો શું તમને
કેવું પડશે કે અનુભવો સારા જ પ્રાપ્ત કરો ? કોઈ કેમ તમને જાણ્યા વગર એમ કહી પણ શકે
કે તમારો આ અનુભવ સારો રહ્યો કે ખરાબ ? એ તો આપણે જ જાણીએ પરંતુ આપણે તેવા અનુભવ
ખરાબ છે તેમ માનીને તેને વિસરી (ભૂલી) જઈએ છે, જે ખરેખર ભુલાતા નથી, મનની શાંતિ
માટે લોકો એમ માને છે કે ભૂલી જવામાં મજા છે અને વાસ્તવિકતા એ છે એ માનવા છતાં પણ
પોતે જ એને ભૂલી શકતા નથી.
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjkkJKzqKN7oPrBvK5c6GtZCyulOE41jaozJD2IBl2TYmLCbauxkTZOXYhoC57Yvsr6fhEje4H5RDp_ZSDrKKousv1bp7t3VHaBvbcoI48PNTN9Wh7ZZKcKz0MMNRO7RzAiieTbbDzqric/s200/images+%25281%2529.jpg)
જયારે કોઈ માણસ ખુબ
જ દુઃખી હોય અને એને તમે એમ કહો કે ખુશ રહો, એ એનું અપમાન છે!! એવી જ રીતે જેવી
રીતે કોઈ માણસ ખુબ જ ખુશ હોય અને એને તમે એમ કહો કે દુઃખી રહો ? મારા અનુભવથી હું
તો ત્યાં સુધી કહીશ કે જે વ્યક્તિ ને એની પ્રકૃતિની સીમાની ખબર નથી એ વ્યક્તિને
ખુદ ઈશ્વર એના ખોળામાં બેસાડીને શાંતિનો અનુભવ કરાવડાવે તો પણ એ કામચલાવ શાંતિ જ
સાબિત થશે અને એનાથી વિપરીત જે વ્યક્તિ એની પ્રકૃતિની સીમા જાણતો હશે એને ઈશ્વર
ક્યારેય ન મળે તો પણ એની અમાપ શાંતિ હશે, બીજા અર્થમાં એ પોતે જ ઈશ્વર છે જે
કામચલાવ નહિ કાયમી શાંતિને અનુભવે છે.
ધરતીનો પ્રારંભ થયો
ત્યારથી જ આ હકીકતનો પણ પ્રારંભ થયેલો છે પરંતુ સીમિત દાયરો ધરાવતો મનુષ્ય પહેલા અસીમિત
શક્તિ, વ્યવસ્થા કે વ્યક્તિને પડકારી લે છે અને પછી પોતે અશાંત બનીને શાંતિ માટે
ભટકી જાય છે. જેમ એક સારા દિવસની કલ્પના માટે એક ઘોર કાળી રાત્રીમાંથી પસાર થવું જ
પડે તેમ એક શાંતિ માટે મનુષ્યએ એક અશાંતિમાંથી પહેલા પસાર થવું જ પડે, શાંતિનો
રસ્તો કોઈ અન્ય પ્રયોગોમાં નથી, શાંતિનો રસ્તો અશાંતિમાંથી જ છે. જો મનુષ્ય અશાંત
થઇ શકે તો જ એ મનુષ્ય શાંત થઇ શકે અન્યથા શાંતિ અને અશાંતિની વચ્ચે અટવાવા સિવાય
બીજો કોઈ વિકલ્પ નથી. પરમ શાંતિ માટે અહં સીમાનો અભ્યાસ જરૂરી છે અને એ નિર્વિવાદ હકીકત છે કે જો સીમા બહાર પગ રાખીએ તો સુરક્ષાનો પહેલા વિચાર કરવો જોઈએ તેમ કોઈને સલાહ કે ઉપદેશ આપીએ તો આપણી શાંતિનો પહેલા વિચાર કરવો જોઈએ. જે લોકો આ કરી શકે છે એ એની સીમાઓથી સુપેરે પરીચિત હોય છે.
~ ભાર્ગવ જોશી