Translate

09 May 2020

સ્વતંત્રતા



સ્વતંત્રતા દરેકને વહાલી હોય છે, છતાં પણ માણસ પોતાને કોઈને કોઈ બંધનમાં મહેસુસ કરે છે, કોઈને કર્જનું બંધન લાગે છે તો કોઈને વ્યક્તિનું, આમ અમીરથી લઈને ગરીબ સુધી વડાપ્રધાનથી લઈને એક ક્લાર્ક સુધી દરેકને આ બંધન અસહ્ય લાગે છે. ઘણી વખત આપણે જોયું હશે કે આપણને આપણું કામ બંધન લાગે જેને કરવા બીજા અનેક આતુર હોય છે અને કહેતા પણ હોય છે કે તમારે તો મજાનું છે, તકલીફ તો અમને છે. જયારે આપણે પણ એને એજ કહેવા માંગતા હોઈએ કે મજાનું તો તમારે છે. તકલીફ તો મને છે. તમે ક્યારેય વિચાર્યું કે કોઈપણ દેશ હોય, વસ્તી ઓછી હોય કે વધારે પણ એ દેશનો એક નાનકડો વર્ગ જ અમીર હોય છે, બાકીના બધા ગરીબ અથવા ગરીબથી સહેજ આગળ, આપણને થતું પણ હોય કે આમ કેમ ? શું ઈશ્વરને આ ઈમબેલેન્સ નહિ દેખાતો હોય? આવું જ સબંધોમાં પણ આપણને લાગે છે. આપણને એમ લાગે કે આપણે આપણા સબંધીને આટલા બધા ચાહતા હોવા છતાં તેને આપણી ચાહ કેમ નહિ દેખાતી હોય ? આનું રહસ્ય જાણવું છે ? તો આ લેખ એ રહસ્ય પાસે તમને લઇ જશે. આપણે સહુ ગુરુત્વાકર્ષણનો નિયમ તો જાણતા જ હોઈશું, કોઈ જાડો હોય કે પાતળો, ધનવાન હોય કે નિર્ધન પરંતુ એ દસ મજલા ઈમારત પરથી પડે તો એ નીચે જ આવે, તેમાં કોઈ ફેરફાર નથી. એ ફર્ક  આપણે ગુરુત્વાકર્ષણનો નિયમ જાણીએ છે એટલે નથી કરતા, બરાબરને !! પ્રકૃતિ, એટલે કે નેચર એને પણ આપણે જાણીએ જ છીએ તેમ છતાં પણ આપણે વરસાદ, વાવાઝોડા કે ધરતીકંપ માટે વૈજ્ઞાનિકો કે જ્યોતિષીઓની સલાહ અથવા આગાહી પર ચાલીએ છીએ. જો કોઈ એમ કહે તો કે આજે જે વાવાઝોડું આવ્યું એ તમારા કારણે આવ્યું ? અથવા કોઈ એમ કહે કે બે વર્ષથી વરસાદ નથી પડતો તેનું કારણ ફલાણો કે ઢીમકો માણસ છે, તો આપણે માનશું ? ના આપણે તેની વાતને નહી માનીએ અને વધુમાં એમ પણ કહીએ કે તે ભગવાન થોડો છે કે નેચર ઉપર તેની હકુમત ચાલે? તો તમારે આ રહસ્ય સુધી એક વખત પહોચવું જ જોઈએ. પ્રકૃતિ જ નહિ પ્રત્યેક માણસ એનું સુર્જન જાતે જ કરે છે. તેમ જ કોઈ માણસ ચાહે તેમ અને તેવા વરસાદ કે વાવાઝોડાનું નિર્માણ જાતે કરી શકે છે. વાત પર હસવું આવ્યું ને ? હા, તમે હસસો પણ ખરા કેમકે તમે એ રહસ્યને નથી જાણતા જે આ વાતનું સમર્થન કરે છે કે માણસ પોતે વાવાઝોડા કે ધરતીકંપનું નિર્માણ કરી શકે છે. માણસ પોતાને ધનીક કે ગરીબ બનાવી શકે છે, માણસ પોતે સમસ્યાઓમાં ઘેરાયેલો કે સમસ્યા બહાર રચ્યો પચ્યો જેમ રહેવા માંગતો હોય તેમ રહી શકે છે. છતાં પણ માણસને એમ લાગે કે આં પોતાના ગત જન્મોના કર્મનું ફળ છે, હું કોઈની આસ્થા પર આંગળી નહિ ચીંધુ એટલે કોઈને એમ લાગે કે આ એના કર્મોનું ફળ છે, છો ને હોતું !! કોઈને એમ લાગે કે પાપ કે પુણ્યના પ્રતાપ લોકોના જીવન સાથે હોય છે, છો ને હોતા !! પણ જો આ રહસ્યને તમે જાણી જશો તો તમે તમારી જીન્દગીને ચાહો એ મુકામ પર લઇ જઈ શકશો. આના માટે કોઈ વિશેષ નિયમ પાળવાના કે તોળવાના પણ નથી, બસ તમારે એ રહસ્યને જાણવાનું છે અને એક વખત જાતે અનુભવવાનું છે. જો આ બંને કરી શક્યા તો લગામ તમારા હાથમાં આવી જશે. આ લગામ કોઈના જીવનની નહિ પણ તમારા જીવનની છે જે બીજાના હાથમાં હોવાથી તમે દુઃખી અથવા સુખી હોવાનો અનુભવ કરો છો. આધ્યાત્મમાં અનેક લોકોએ આ રહસ્ય થકી જ લોકોના જીવન બદલ્યા છે. (જે અંધશ્રધ્ધાળુઓ હોય તેની વાત નથી કરતો) આ રહસ્ય છે “આકર્ષણ”, ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત જેવો જ આ એક સિદ્ધાંત છે, જેના થકી માણસ તકલીફ મુક્ત અથવા તકલીફ ગ્રસ્ત રહે છે. માણસ ઘણી વખત એ વિચારતો હશે કે જે એને પસંદ નથી કે ગમતું નથી તે વર્તન કે ઘટના પોતાની સાથે વારંવાર કેમ થાય છે ? જેમ કે કોઈને ટ્રાફીકમાં અટવાવું નથી ગમતું છતાં તે અનેક વખત ટ્રાફીકમાં ફસાતા હોવાનો અફસોસ કરે છે. આકર્ષણ માણસ ચાહે કે ન ચાહે, આકર્ષણ સારૂ છે કે ખરાબ, તેમ છતાં આકર્ષણનો સિદ્ધાંત એની મેળે મેળે કામ કરે છે. બસ માણસ આ સિદ્ધાંતને જાણતો ન હોય ત્યારે એને ખરાબ અનુભૂતિ થાય અને જો એ આકર્ષણના સિદ્ધાંતને જાણી લે તો પછી એને સારા જ અનુભવ થાય. આ દુનિયામાં જો વફાદારીના બેનમુન નમુના કોઈ હોય તો એ છે પ્રકૃતિના સિદ્ધાંતો. એ બેગજબ વફાદાર છે.

આકર્ષણના સિદ્ધાંત પાસે માણસ જે ચાહે તે મેળવી શકે છે, ધન, દૌલત, સ્વસ્થતા, પ્રતિષ્ઠા, પદ, મુકામ ઈત્યાદી. આવા કેટલાક ગણ્યાગાંઠ્યા સિદ્ધાંતો માણસના આસીસ્ટન્ટ તરીકે કામ કરે તેવી સરસ વ્યવસ્થા કુદરતે બનાવી છે. બસ માણસ આ રહસ્યો સુધી પહોચવાને બદલે જીન્દગીની ભારે ભારે લડાઈઓ લડવા નીકળી પડે છે. આ સિદ્ધાંત જ જવાબદાર છે જે થઇ ગયું, જે થઇ રહ્યું અને જે થવાનું છે તેના માટે. આપણા બધા સાથે એક અનંત શક્તિ છે, જે ને વિજ્ઞાન પણ માને છે અને આધ્યાત્મ પણ. આ અનંત શક્તિઓ થકી જ માણસ ચંદ્ર પર કે અન્ય ગ્રહો જે આપણાથી દુર છે ત્યાં અંતરીક્ષ યાન મોકલી શકે છે, એટલું જ નહિ એ યાનના દરવાજા એ અહી બેઠા બેઠા ખોલે કે બંધ પણ કરી શકે છે. આ સિદ્ધાંતમાં કોઈ ભેદભાવ નથી કે એ માણસ ભારતીય છે કે રશીયન કે અન્ય દેશનો, માણસ ઠીંગણો છ કે લાંબો, પાતળો છે કે જાડો, ગરીબ છ કે નિર્ધન. કુદરતના સિદ્ધાંતો બસ જે તે માણસના આસીસ્ટન્ટ તરીકે કામ કરે છે. એ બધું જ જે માણસના જીવનમાં ઘટી રહ્યું છે તેને આકર્ષણનો સિદ્ધાંત આકાર આપી રહ્યું છે, એ બધું જ માણસે પોતે જ આકર્ષિત કર્યું હોય છે. કોઈને પ્રશ્ન થશે કે જે હું ચાહતો નથી તેને તે પોતે કેવી રીતે આકર્ષિત કરતો હોય ? આ સિદ્ધાંત ખોટો છે ? હું તેને માનતો નથી? માણસ કોઈ પણ માને કે ન માને એના જીવનમાં જે જે ઘટી રહ્યું છે તેને એ માણસે પોતે જ આકર્ષિત કર્યું હોય છે. એટલે જ મારે આગળ એ કહેવું પડ્યું કે કુદરતના સિદ્ધાંતો વફાદારીમાં બેનમુન છે. માણસ આદેશ આપે એટલે એ એમાં કોઈ જ ફેરફાર કે વધઘટ કર્યા વિના જ માણસ ને આપે છે. એટલે જ આને રહસ્ય કહીએ તો તે વધારે પડતું નથી.

વિજ્ઞાનની શોધ એમ કહે છે કે માણસ ઊંઘતો હોય કે જાગતો હોય તે ૨૪ કલાકમાં ૬૦ હજાર વિચારોને જન્મ આપે છે, જેમ કે સ્પમ, માનવીય સૃષ્ટિના ક્રમ માટે પ્રજનનનો જે સિદ્ધાંત છે તેમ જ એક માણસના જન્મ માટે કરોડો શુક્રાણું માણસની ઇન્દ્રી છોડે છે અને તેમાંથી એક વીક્રાણું અને એક શુક્રાણુની જોડી એક માણસનું સુર્જન કરે છે તેમ માણસ તેના દ્વારા કરવામાં આવતા ૬૦ હજાર વિચારોમાંથી કેટલાક વિચારોને હકીકત બનાવી શકે છે, તેની પાછળ જો કોઈ શક્તિ કામ કરતી હોય તો એ શક્તિનું નામ “આકર્ષણ” છે. એક ઉદાહરણ જોઈએ તો ધરતી ઉપર કામ કરતા બધા માણસની એક દિવસની કમાણી એકત્રિત કરીએ તો ખ્યાલ આવશે કે એ રકમના ૯૬ % રકમ આબાદીના માત્ર ચાર ટકા લોકોએ કમાઈ હોય છે ? આમ કેમ ? એ પ્રશ્નનો જવાબ આ સિદ્ધાંત છે જેને સમજી અને પછી તેનું આચરણ કરવામાં આવે તો આકર્ષણ નામનો આ સિદ્ધાંત તમારા આસીસ્ટન્ટ તરીકે તદન મફતમાં કામ કરશે, આ હકીકત પેલા ચાર ટકા બુદ્ધિજીવીઓ જાણે છે એટલે જ એ ૯૬ % લોકોને કામમાં ઉલ્જાવી રાખે છે. એટલે જ આ રહસ્ય આમ લોકો સુધી પહોચે અને પાંખડી લોકોના ભરમાવ્યા ન ભર્મે તેથી આગળ આ રહસ્યને બરાબર સમજવા હું દરેક વાંચકને વિનંતી કરું છું.


પ્રત્યેક માણસ પોતે એક ચુંબક છે, સૃષ્ટિ કે બ્રહ્માંડની રચના પણ ચુંબકીય વ્યવસ્થા મુજબ ચાલે છે, દરેક ગ્રહો કે તારા પણ તેના સ્થાને ચુંબકીય પદ્ધતિથી જ ટકેલા હોય છે. માણસ પણ એક ચુંબક છે અને એ ચુંબક દરેક વસ્તુ, વિચાર, સુર્જન કે પતનને આકર્ષે છે. આકર્ષણના આ સિદ્ધાંતને કામ પર લગાડતા પહેલા એ યાદ રાખવું કે તે પોતે એના કામમાં અને એની સેવામાં પૂર્ણત વફાદાર છે અને એની પાસેથી વધુ સારી રીતે કામ લેવા સ્વયંની વફાદારી સિદ્ધાંત પ્રત્યે એટલી જ મહત્વની છે. આ સિદ્ધાંત ને સફળ રીતે પોતાના માટે કાર્યરત કરવા ત્રણ શબ્દો બેહદ જરૂરી છે, “વિચાર બનાવે જીન્દગી” મોટાભાગના માણસો નથી જાણતા હોતા કે વિચારોની એક ફીકવન્સી હોય છે અને દરેક વિચાર માણસના મગજમાં રહીને બાહ્ય વિચારોને આકર્ષિત કરે છે, આવા ભીતર-બાહ્ય વિચાર મળીને માણસની તકલીફ અથવા બિનતકલીફનું સુર્જન તથા વિસર્જન કરે છે. જેમ માણસ કોઈ કર્જદાર હોય તો એને અનુલક્ષીને, માણસ કોઈ ફેક્ટરીનું નિર્માણ કરવાનો હોય તો એને અનુલક્ષીને, પરદેશ જવા માંગતો હોય તો એને અનુલક્ષીને, મતલબ કોઈને કોઈ અનુલક્ષમાં એ વિચારાધીન હોય છે. અહી જ આકર્ષણ સિદ્ધાંત એની મુસીબત ઓછી અથવા વધુ કરી શકે છે અથવા અહી તે માણસના સહાયક તરીકે અથવા માણસની વિરુદ્ધ કામ કરવાનો માણસનો આદેશ પ્રાપ્ત કરે છે. પુનઃ એક વખત દોહરાવું તો કુદરતના બધા જ સિદ્ધાંતો એના કામ પ્રત્યે બેગજબ વફાદાર હોય છે. તેથી વિચાર બનાવે જીન્દગી આ ત્રણ શબ્દો એના તમામ અનુલક્ષમાં હોવા જોઇશે.

માણસના મગજમાં ઉઠેલો એક વિચાર બાહ્યના તમામ સામાન્ય વિચારોને આકર્ષી લે છે. તેથી જત્થામાં વિચારો આવતા હોય તો પણ તે વિચારો પૈકી એક પણ બહારની ફીકવન્સીમાં ચાલ્યા ન જાય તે કામ આ આકર્ષણનો સિદ્ધાંત કરે છે, તેથી બિનજરૂરી વિચાર ન કરવાની સલાહ તો ન કહી શકું પણ મોટાભાગે માણસ જે ચાહતો કે ઈચ્છતો નથી છતાં એના જીવનમાં એ વારંવાર દોહરાય છે તેનું જવાબદાર સિદ્ધાંત આકર્ષણ છે. આ સિદ્ધાંત માણસને એ પૂછતો નથી કે તમે આદેશ આપ્યો એ સારો છે કે ખરાબ, એ તો બસ તમે જે આદેશ આપો તેને સાકાર કરે છે. જેથી “ વિચાર બનાવે જીન્દગી” આ ત્રણ શબ્દો સાથે આકર્ષણના સિદ્ધાંતને પોતાની પ્રગતિમાં લગાડી જુઓ અનંત ફાયદા મળશે. માણસને એક પ્રશ્ન થશે કે એ તો સમજ્યા કે પોઝીટીવ વિચારો તો એ થાય પણ હું તો નેગેટીવ જ વિચારું તો એ પણ થવા જોઈએ ને ? તો આના વિસ્તૃતિકરણ માટે જેમ પ્રજનન ક્રિયામાં શુક્રાણુ વિક્રાણુંનું મહત્વ છે તેમ માણસ પોતે આકર્ષિત છે કે માણસ આકર્ષિત કરી શકે છે એ સિદ્ધાંત સમજી લેવો અતિ જરૂરી છે. એટલે જ આ રહસ્યને માત્ર સમજી લેવાથી ફાયદો નથી તેને ખુદના અનુભવ સાથે અમલમાં લેશો તો જ આઇડિયા આવશે, હું કોઈ ધ્યાન, વિધિ કે વ્યવસ્થાનું સુચન નહિ કરું પણ એટલીસ્ટ તમે જાતે તમને મદદ કરતી શક્તિઓને તમારા તરફ કેટલી આકર્ષિત કરી શકો એ તમારા અનુભવ બાદ જ તમને સમજાશે. તેથી વિચારાધીન હોવ ત્યારે તમે સારૂ કરો છો, તમને કોઈ જ તકલીફ નથી, તમે જે કરશો તે બરાબર જ કરશો, તમારા કામને મદદ કરવા અનેક લોકો તમારી મદદ કરવા આતુર છે પરંતુ હું કોઈની મદદ લીધા વિના જાતે જ આ કામ કરીશ તેવા વિચારોને તમારા આકર્ષણની સામગ્રી બનાવો, નિસંદેહ તમે એ બધું આકર્ષી શકશો જે તમારી કલ્પના માત્રથી સાકાર થાય છે.
અસ્તુ !!